May 22nd 2020

શિખામણ હરિકૃષ્ણ દાદાની !!

(૯૬ વર્ષના દાદા હરિકૃષ્ણ  મજમુંદાર  જે કેલિફોર્નિઆ થી હ્યુસ્ટન ખાસ  અમારી ગુજરાતી સાહિત્ય સરિતા  ના માનવંતા મહેમાન બની પધાર્યા હતા,  એમનો વાર્તાલાપ અને એમની સાથે ગાળેલી સાંજ મારા ઘરે એ અવિસ્મરણિય યાદ, પછી લખાયેલી અછંદાસ કવિતા જે દાદા ને અર્પણ છે.)

આજ તો છે આજ, વિતેલાનો વિચાર શું!
કાલ ગઈ વીતી, ને કાલની ચિંતા શું!
કહેવાની વાત કોઈ રહી જાય ના,
જીવવાની રીત કોઈ વહી જાય ના!
પળ આજ, જીવનની રળિયામણી,
નહિ ચિંતા, છે મહેનતની કમાણી.
જો બળ જીવવાનું, તો ઉંમરની શી વિસાત,
કોઈ જુવાન છણ્ણુ વર્ષે, કોઈ કરે છાસઠે હિસાબ
 નજર નજરનો ભેદને સમજણ સહુની ન્યારી,
બસ ખુદની પરખ કેળવવી છે ભારી.
પગ ચાલે તેનું નસીબ ચાલે, જીવનમંત્ર એ આપનાવો,
બદલાય નસીબ વિશ્વાસ એ દિલમાં જગાવો.
ભરી દીધું જોમ દાદા તમે અમ જીવનમાં,
મળીને તમને, મળ્યો મારગ જિંદગી માણવાનો.
મળ્યો મારગ જિંદગી માણવાનો!

શૈલા મુન્શા.  તા ૦૭/૧૫/૨૦૧૫
www.smunshaw.wordpress.com

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.