June 1st 2010

માળા ના મણકા

માળા એટલે શું? તેમા ૧૦૮ મણકા કેમ રખાય છે?

સંસારની આંટીઘૂંટી, જીવનનિર્વાહ માટેની દોડધામ અને ક્યારેક આળસના લીધે મનુષ્ય દિવસમાં એકવાર પણ પરમકૃપાળુ પરમાત્માનું સ્મરણ કરતો નથી હોતો.આવી પરિસ્થિતીથી આપણા પૂર્વજો અજાણ ન હતા. ૠષિમુનિઓ આવા વ્યસ્ત મનુષ્યોને દિવસમા એકવાર પ્રભુસ્મરણ કરવાની પ્રેરણા આપતા હતા. જે આગળ વધતાં પાંચ વાર અને પછી અગિયાર વાર નામસ્મરણ કરવા કહેતા. પ્રભુસ્મરણ માટે પોતે આપેલ મંત્ર જપવા માટે જ્યારે ચોક્કસ ગણતરીની જરૂરત ઊભી થઈ ત્યારે મણકાવાળી માળાનો જન્મ થયો હોવો જોઈએ તેમ માનવામા આવે છે.
બહુજ સાદા અર્થમાં કહીએ તો મંત્ર-માળાની ગણતરીની સાનુકૂળતા માટેનુ સાધન એટલે માળા. આ માળા ૧૦૮ મણકાની બનાવવામા આવી તે પાછળનુ રહસ્ય જાણવા જેવું છે. મનુષ્યની શારીરિક રચના મુજબ તે ૧ મિનીટમા ૧૫ વાર શ્વાસ લે છે. આ ગણતરી પ્રમાણે મનુષ્ય ૨૪ કલાકમાં ૨૧,૬૦૦ વાર શ્વાસ લે છે. આપણા શાસ્ત્રોમાં પણ તેની નોંધ છે.રાત્રિના ૧૨ કલાક જો બાદ કરી લઈએ તો દિવસના ૧૨ કલાકમાં મનુષ્ય ૧૦,૮૦૦ વાર શ્વાસ લે છે. સ્વાભાવિક છે કે દરેક શ્વાસે ભગવાનનું સ્મરણ ન થઈ શકે, પરંતુ જો વિધિપૂર્વક મંત્રનો જાપ કરવામાં આવે તો પ્રત્યેક મંત્રજાપનુ ૧૦૦ ગણું ફળ મળે છે . ઋષિમુનિઓના આ વિધાન મુજબ દિવસ દરમ્યાન જો ૧૦૮ વાર મંત્રનો વિધિપૂર્વક જાપ થાય તો તેનુ ૧૦૦ ગણું ફળ મળે. તે ગણતરીએ (૧૦૮x ૧૦૦=૧૦૮૦૦) માળામા ૧૦૮ મણકા પરોવવામાં આવ્યા હતાં. ૧૦૮ મણકાની એક માળા મંત્રજાપ કરી ફેરવવાથી શ્વાસેશ્વાસે ભજન કર્યું ગણાય. આમ દિવસમાં એક માળા ફેરવવી એ પ્રભુભજનનુ પહેલું પગથિયું ગણાય છે.
૧૦૮ મણકા માટેનો બીજો મત ખગોળશાસ્ત્રીય છે. ખગોળશાસ્ત્ર પ્રમાણે સૂર્ય-ચંદ્રના આધારે પૃથ્વી ઉપર ઋતુચક્ર ચાલે છે. સૂર્યના માર્ગને પ્રાચીન ઋષિ-વૈજ્ઞાનિકોએ ૨૭ વિભાગોમાં વહેંચીને પ્રત્યેક વિભાગમા રહેલા તારાઓના સમૂહને ‘નક્ષત્ર’ સંજ્ઞા આપી છે. આ નક્ષત્ર માળાના આધારે આપણી માળાની કલ્પના કરવામાં આવી છે. પ્રત્યેક નક્ષત્રના ચાર ચરણ હોય છે. આથી ૨૭ નક્ષત્રોના મળીને કુલ ૧૦૮ ચરણ થાય છે તેથી માળાના મણકાની સંખ્યા ૧૦૮ રખાઈ છે તેમ આપણા પૂર્વજોનુ માનવું છે. બ્રહ્માંડની નક્ષત્રમાળા જેને કેન્દ્રમાં રાખીને ફરે છે તે સ્થાનને ‘સુમેરુ પર્વત’ નામથી શાસ્ત્રમાં વર્ણવવામાં આવ્યું છે. આથી માળાના બંને છેડા જ્યાં મળે છે તે સ્થાનને અને તે મણકાને ‘સુમેરુ’ કહેવામાં આવે છે જે અપભ્રંશ થઈ મેરુ તરીકે ઓળખાય છે. જ્યારે માળા ગણતાં મેરુનો મણકો આવે છે ત્યારે ૧૦૮ મંત્રજાપ પૂરા થયાનો સંકેત મળે છે અને ભાવિકો તે સમયે મેરુને આંખે અડકાડે છે. મેરુના મણકાને રેશમના દોરાના ગુચ્છાથી પરોવવામાં આવે છે.
માળાના આ મણકાઓ વિવિધ પ્રકારની વસ્તુઓમાંથી બનાવવામા આવે છે, પરંતુ શાસ્ત્રોક્ત રીતે આ મણકા સુખડના લાકડાના કે સાદા લાકડાના હોય તે પસંદ કરવામાં આવે છે. ગળામા પહેરવાની માળા તુલસીના લાકડામાંથી બનાવવામાં આવે છે જેનાથી કેટલાક રોગોમાં રાહત થાય છે. મનુષ્ય પોતાના મનની શાંતિ માટે અને પરમાત્માના ઉપકારોનુ ઋણ અદા કરવા માટે માળા દ્વારા મંત્રજાપ કરે છે.

માહિતી પ્રાપ્ત ઈ -મૈલ દ્વારા. મોકલનાર(પારૂલ ગાંધી)

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.