શિખામણ હરિકૃષ્ણ દાદાની !!
(૯૬ વર્ષના દાદા હરિકૃષ્ણ મજમુંદાર જે કેલિફોર્નિઆ થી હ્યુસ્ટન ખાસ અમારી ગુજરાતી સાહિત્ય સરિતા ના માનવંતા મહેમાન બની પધાર્યા હતા, એમનો વાર્તાલાપ અને એમની સાથે ગાળેલી સાંજ મારા ઘરે એ અવિસ્મરણિય યાદ, પછી લખાયેલી અછંદાસ કવિતા જે દાદા ને અર્પણ છે.)
કહેવાની વાત કોઈ રહી જાય ના,
જીવવાની રીત કોઈ વહી જાય ના!
આજ તો આજ છે, વિતેલા નો વિચાર શું!
કાલ ગઈ વીતી, ને કાલની શું ચિંતા?
પળ જે છે આ જ, જીવનની રળિયામણી.
નહિ ચિંતા પણ લાગશે મહેનત કામ,
જો બળ જીવવાનુ, તો ઉંમર નો શો હિસાબ!
છે નજર નજર નો ભેદ, ને સમજણ અનોખી!
કોઈ જુવાન છણ્ણુ વર્ષે, કોઈના હવાતિયાં છાસઠે.
સુખ દુઃખ ને ચડતી પડતી તો આવે ને જાય,
પગ ચાલે તેનુ નસીબ ચાલે, સદા મંત્ર આપનો.
ભરી દીધું જોમ દાદા તમે, આજ અમ જીવનમા,
મળીને તમને, મળ્યો મારગ આ જીંદગી માણવાનો.
શૈલા મુન્શા. તા ૦૭/૧૫/૨૦૧૫