વિસરાઈ જાય છે!!
જિંદગાનીની કહાની વિખરાઈ જાય છે,
તે છતાં યાદો કદી ક્યાં વિસરાઈ જાય છે!
ફૂલ લાવી ગોઠવો મોંઘા, સજાવો કેટલા,
આંગણાની ફૂલવારી કાં ભુલાઈ જાય છે?
વાદળોની પાર મોતી તારલાંઓ ટમટમે,
હેત તોય, ચંદ્રમાં પર ઊભરાઈ જાય છે!!
લાખ સંતાડે કપટથી માનવી જ્યાં પાપને,
જાત માણસની સદાએ ઓળખાઈ જાય છે!
હાથ આવે ના કદી બાજી, જે હારી દાવમાં,
તોય આશા જીતવાની, શું રખાઈ જાય છે!!
બિરદાવે ખૂદને, સમજી કુશળ ને હોંશિલો,
પણ વખત આવે, હમેશા ભોળવાઈ જાય છે!
જિંદગીને મોત ક્યાં બંધાય છે મુઠ્ઠી મહીં,
જે પળે જે થાય, એવું જીરવાઈ જાય છે!
શૈલા મુન્શા તા. ૦૯/૧૫/૨૦૧૯
Very nice.
Comment by અરવિંદા શાહ — September 21, 2019 @ 4:11 pm
સુંદર વિચારો છે.
Comment by ભાવના દેસાઈ — September 21, 2019 @ 4:12 pm
છંદમાં આવી ગઝલ શોભી જરૂર જાય છે.
Comment by ચીમન પટેલ — September 21, 2019 @ 4:16 pm
Very good. Liked it.
Comment by દિપક ભટ્ટ — September 21, 2019 @ 4:18 pm