મૃત્યુનો મહોત્સવ
એક સદીનુ જીવન કેવું અલૌકિક!
ને મરણ તો જાણે મહોત્સવ.
ભર્યું ભાદર્યું કુટુંબ સહુ વિશાળ,
વિંટળાઈ વટવૃક્ષને જાણે વડવાઈ!
દાદા, દાદીની આ ફુલવાડી
ફેલાવી રહી સંબંધોની સુવાસ!
દાદા તો અમારા જીવ્યા બનીને,
કર્મઠ ગાંધીધારી ને ખાદીધારી,
મિતભાષી, ને મંદ એ મુસ્કાન.
જયશ્રી કૃષ્ણ નો સહુને આવકાર.
દિકરા, વહુ,પૌત્ર, પૌત્રી પ્રપૌત્ર,પ્રપૌત્રી,
ચાર ચાર પેઢી પર વરસે આશીર્વાદ.
કેવું અનુપમ સૌભાગ્ય કે,
ઘડી અંતિમ ને સહુ આસપાસ.
ઘરના મોભી તો ગયા માણવા,
મહોત્સવ શ્રીજી સંગ, ને!
આપતા ગયા એ જ શીખ,
મરણને માનો મહોત્સવ
તો જીંદગી રોજ ઉત્સવ.
પરમ પૂજ્ય કાંતિદાદાને શ્રધ્ધાંજલિ
જન્મ-ઓક્ટોબર-૬-૨૦૧૮
મરણ-એપ્રીલ-૩૦-૨૦૧૯
(મારી બેન પારૂલ અને બનેવી જસુના પિતાને શ્રધ્ધાંજલિ)
શૈલા મુન્શા તા૦૫/૦૫/૨૦૧૯