“મ” શબ્દ-અર્થ-વાક્યપ્રયોગ
ક્રમ- શબ્દ- અર્થ- વાક્યપ્રયોગ
૨૧-મકરપતિ-કામદેવ-
મકરપતિના બાણ વાગ્યા હોય તે જાણે.
૨૨-મકરાખ્ય-મગર- મોટું માછલું
પાણીમા રહીને મકરાખ્ય સાથે વેર ના બંધાય.
૨૩-મક્ષ-ક્રોધ, ગુસ્સો
મક્ષમા બોલાયેલ શબ્દો નિજને અને બીજાને, બન્નેને નુકશાન કરે છે.
૨૪-મખત્રાણ-યજ્ઞનુ રક્ષણ
બ્રાહ્મણો મખત્રાણ નુ કામ ક્ષત્રિય રાજાને સોંપતા.
૨૫-મખરાજ-યજ્ઞોમા શ્રેષ્ઠ એવો રાજસૂય યજ્ઞ
પાંડવોના મખરાજમા દ્રૌપદી એ દુર્યોધન નુ અપમાન કર્યું હતું.
૨૬-મઘવા-ઈંદ્ર, દેવરાજ
દેવો ના દેવ ઈંદ્રનુ એક નામ મઘવા પણ છે.
૨૭-મઘેરુ-શિયાળાનો વરસાદ
માહ મહિનામા આવતા વરસાદને મઘેરુ કહે છે.
૨૮-મઘોની-શચી, ઈંદ્રની પત્નિ
ઈંદ્રાણી, નુ એક નામ મઘોની પણ છે.
૨૯-મજ્જનગૃહ- નાહવાનો ઓરડો
ધનિકોના મજ્જનગૃહ ગરીબોની ઝુંપડી થી મોટા હોય છે.
૩૦-મજ્જારી-બિલાડી
અમેરિકામા મજ્જારીને માણસ કરતા વધુ લાડ મળે છે.
૩૧-મણિક-માટીનો ઘડો
પનિહારી મણિક લઈ કુવે પાણી ભરવા જાય.
૩૨-મણિતારક-સારસ પક્ષી
મણિતારક હમેશ એની માદા સાથે જ જોવા મળે.
૩૩-મણિભૃત-શેષનાગ
કૃષ્ણે બાલ્યાવસ્થા મા મણિભૃત ને નાથ્યો હતો એવી કથા છે.
૩૪-મણિવીજ-દાડમનુ ઝાડ
મણિવીજ ના ફળ ખાવામા ખટમધુરા હોય છે.
૩૫-મત્તકીશ-હાથી
મત્તકીશ જીવતો લાખનો અને મરેલો સવા લાખનો.
૩૬-મત્તશ્વાન-હડકાયેલું કૂતરું
મત્તશ્વાન કરડે તો પેટમા ૧૪ ઈંજેક્શન લેવા પડે.
૩૭-મદકરી-મદિરા, દારૂ
મદકરીનુ અતિ સેવન નુકશાનકારક છે.
૩૮-મદનકદન-શંકર, મહાદેવ
કામદેવને મારનાર શંકર મદનકદન ના નામે પ્રસિધ્ધ છે.
૩૯-મદનકાકુરવ- કબૂતર, પારેવું
પ્રાચીનકાળમા રાજા મદનકાકુરવ નો ઉપયોગ સંદેશવાહક તરીકે કરતાં.
૪૦-મધુ-અશોક વૃક્ષ, આસોપાલવનુ ઝાડ
મધુના પાન શુભ પ્રસંગે તોરણ બનાવવા ના ઉપયોગમા આવે છે.
૪૧-મધુઋતુ-વસંતઋતુ
મધુઋતુમા કુદરત અવનવા રંગે સોહી ઊઠે છે.
૪૨-મધુગર-ભમરો
જ્યાં ફુલોના બગીચા હોય ત્યાં મધુગર જોવા મળે.
૪૩-મનભંગ-નિરાશા, અસંતોષ
મનભંગ થાય તો માણસ હિંમત હારી જાય.
૪૪-મનાક-થોડું, જરાક
સંતોષી જીવ મનાક મા ઘણુ માની તૃપ્ત રહે છે.
૪૫-મનીષિત-ઈચ્છા, મનથી ઈચ્છેલું
માગ્યા વગર મનીષિત પુર્ણ થાય એના જેવું કોઈ સુખ નહિ.
૪૬-મનોજ્ઞતા-મનોહરતા, સુંદરતા
મનુષ્યમા મનોજ્ઞતા ફક્ત બાહ્ય નહિ પણ ભીતરની પણ હોવી જોઈએ.
૪૭-મનોતાપ-માનસિક દુઃખ
શારિરીક દુઃખ કરતાં મનોતાપ માણસને ખલાસ કરી નાખે.
૪૮-મનોલૌલ્ય-મનનો તરંગ, મનનુ ચંચળપણુ
મનોલૌલ્યના સહારે માનવી ક્યાંનો ક્યાં જાય.
૪૯-મમત-હઠ, આગ્રહ
નાના બાળકોની મમત સામે ક્યારેક નમવું પડે છે.
૫૦-મષિધાન-શાહીનો ખડિયો
પહેલા ના જમાનામાં મષિધાન અને બરૂની કલમ વડે સંદેશા લખાતા.
શૈલા મુન્શા