વિદાય
જે વિદાય થઈ ગયું,
એને આપણે ઈતિહાસ કહીએ છીએ.
સર્જન થઈ ને જે ગયું,
એને આપણે વિસર્જન કહીએ છીએ.
અરે! આ જગમા રહીને,
ગર્વ થાય એને મિથ્યાભિમાન કહીએ છીએ.
જે મળ્યું એને મહાલ કર,
જે નથી તારૂં, ન રહ્યું કદી તારૂં, તે દિલથી વિદાય કર.
જો વિદાય થી આંખ ભરી આવે,
તો સમજ, જે જાય તેને દિલનુ દર્દ કહીએ છીએ.
કાવ્ય ના રચનાકાર-પ્રશાન્ત મુન્શા. તા. ૦૧/૧૩/૨૦૧૩