મુક્તક
૧- ભગવાન પણ ભુલો પડ્યો,
શોધી શોધીને એવો અડ્યો,
ભજવવા નાટક સ્વર્ગમાં,
શું અદાકારોને જ નડ્યો?
૨- આંચકા પર આંચકો આપે છે,
ધીરજ બસ લોકોની માપે છે,
વાસ્તવિકતા તો છે કપરી,
એ ગણિત શ્રધ્ધાનુ નાપે છે!!
3- દુઃખના દહાડા પણ જશે
ને સુખ જ સુખ રહેશે,
એ તરણાએ તરી જાશું,
વાત સાચી, સમય કહેશે.
4- ખુદ પર ભરોસો તો રાખ,
દર્દને ભીતર છુપાવી નાખ,
નજર હો ઉન્નતિના શિખરે,
તો આપીશ તકદીરને થાપ!
શૈલા મુન્શા ૦૫/૦૩/૨૦૨૦