છણાવટ કોણ કરે
ભરમ બધાંય સંબંધ કેરા,
છણાવટ કોણ કરે?
કોણ પારકાં ને કોણ પોતીકાં,
છણાવટ કોણ કરે?
લીલેરી વનરાઈમાં ડાળ એક સુકી,
છણાવટ કોણ કરે?
બારે મેઘ ખાંગા ને તોય સાવ કોરાં,
છણાવટ કોણ કરે?
હોય પ્રિત સાચી ને પડે જો તિરાડ,
છણાવટ કોણ કરે?
મન, મોતી, ને કાચ ભાંગ્યા ના સંધાય,
ના ઈશ્વર, ના માનવી, કોઈની ના હામ.
છણાવટ કોણ કરે?
શૈલા મુન્શા. તા. ૧૦/૧૨/૧૧
ekdam saras
Comment by vibhuti — October 15, 2011 @ 1:29 pm