ગૌરીસુત
પુત્ર શિવના ઈશાનપુત્ર કહેવાયા
ને માત ગૌરીના સુત ગૌરીસુત કહેવાયા
સ્કંદ(કાર્તિકેય)વડિલબંધુ નામે સ્કંદપુર્વજ કહેવાયા
બ્રહ્માંડના છે પ્રણેતા વિશ્વામુખ કહેવાયા
ધારી ગજ મસ્તક ગજાનન કહેવાયા
સુંઢ ધરી હાથીની ગજાવકત્ર કહેવાયા
મોટા ઉદરવાળા લંબોદર કહેવાયા
સ્વામી છે બુધ્ધિના, બુધ્ધિનાથ કહેવાયા
પૂજે દુનિયા આખી દેવાદેવ કહેવાયા
આકાર ઓમ સમો તો ઓમકારા કહેવાયા
ને બધા ગણોના મુખી ગણપતિ કહેવાયા
ગણપતિ બાપ્પા મોરિયા ઘર ઘર ગુંજે નાદ
ગણપતિ પુજન હર શુભ કાર્યની શરુઆત
વિઘ્નોને દુર કરનારા વિઘ્નહર્તા કહેવાયા
નમું નત મસ્તકે, કરું વિશ્વકામના
હરે સહુ વિઘ્ન વિઘ્નહર્તા, હરે સહુ વિઘ્ન વિઘ્નહર્તા.
શૈલા મુન્શા તા.૨૬/૦૮/૨૦૨૫