May 19th 2010

સ્વભાવ!

કહેવાય છે ને કે વહેમનુ કોઈ ઓસડ નહિ ને સ્વભાવની કોઈ દવા નહિ. કોઈનો પણ સ્વભાવ બદલવો મુશ્કેલ જ નહિ પણ અસંભવ જ લાગે. માણસ અભણ હોય કે ભણેલો, સ્ત્રી હોય કે પુરૂષ, જવાન હોય કે વૃધ્ધ બધાને આ નિયમ સરખો લાગુ પડે.
એંસી વર્ષના કનક બહેન ખુબ ભલા ને માયાળુ. જાત સારી હતી ત્યાં સુધી તો તો બહોળા કુટુંબની બધી જવાબદારી હસતા હસતા ઉપાડી લીધેલી. ઘરનો બધો વહીવટ એમના હસ્તક. ગામમા મોભાદાર ઘર અને વળી મોટો વેપાર રોજગાર એટલે અતિથીની વણઝાર કાયમ ચાલુ પણ કોઈ પરોણો એમના ઘેરથી ભુખ્યો ન જાય. મહેમાનોની અવરજવર વચ્ચે ઘરની દરેક વ્યક્તિની જરૂરિયાતો નો પણ એટલોજ ખ્યાલ રાખે. પોતે માંડ બે ચોપડી ભણેલા પણ બાળકોને ભણાવી ગણાવી જીવનમાં ઠરીઠામ કર્યાં.
ખાનદાન ઘરની દિકરીઓ વહુ તરીકે આવી ને કનક બેનને તો લીલાલહેર થઈ ગયા. ધીરેધીરે ઘડપણની અસર દેખાવા માંડી. જુવાનીમાં થતાં એટલા કામ હવે ન થતા અને જમાનો પણ બદલાયો, જાતમહેનત ને બદલે મશીનોનો જમાનો આવી ગયો. કનક બહેને ઘર અને રસોડા સિવાય બહારની દુનિયા જોઈ ન હતી પણ હવે મોંઘવારી સામે બાથ ભીડવા ઘરની વહુને પણ નોકરી કરવી પડતી. અમેરિકા જેવા દેશમાં કોઈ નોકર ચાકર ન મળે બધું કામ જાતેજ કરવું પડે છતાં વહુ સાસુ સસરાનો પુરતો ખ્યાલ રાખતી. આ જમાનામાં પણ હમેશ ગરમ રસોઈ જમાડતી.
કનક બહેન પોતે જુવાન હતા ત્યારે બધાની સગવડ સાચવવામાં એમના ભાગે ક્યારેય ગરમ રસોઈ જમવાનો વારો નહોતો આવ્યો પણ વહુ હમેશ કહેતી કે “બા તમે આખ્ખી જિંદગી ઘણું કામ કર્યું, હવે શાંતિથી પગ વાળીને બેસો અને ભગવાનનુ નામ લો; અને અમને સેવા કરવાનો મોકો આપો.”
માનવીના સ્વભાવની વાત હવે આવે છે. આમ તો દિવસો સરસ પસાર થતા હતાં પણ એવામાં સસરા બિમાર પડ્યા અને માંદગીએ ગંભીર સ્વરૂપ લીધું. ડોક્ટરે બધાને બોલાવી લેવાનુ કહ્યું, બધા ભાઈઓ અને એમની પત્ની હાજર થઈ ગયા. ઘરમાં સવાર સાંજ પંદર વીસ જણની રસોઈ થાય. પ્રભુની દયા તે સસરાની તબિયત સુધરવા માંડી અને બધાના જીવ હેઠા બેઠા. સાંજના બધા જમવા બેઠા હતાં. ગરમ ઢેબરા ઉતરતા હતા અને બધા જમતા હતા. કનક બહેન પણ જમવાના ટેબલ પર આવ્યા. આટલી ધમાલમાં વહુએ ભુલમાં તવા પરથી ઉતરતું ઢેબરૂં આપવાને બદલે ડબ્બામાં મુકેલુ ઢેબરૂં કનક બહેનની થાળીમાં મુક્યું અને કનક બહેન બોલી ઉઠ્યા “બળ્યું આવું ઠંડુ ઢેબરૂં ખાવાનુ છે, માથે મોભ છે ત્યાં લગી ઠીક છે પછી મારૂં શું થશે?”
થોડા વર્ષોથી ગરમ જમવાની ટેવ પડ્યા પછી પાંચ મિનીટ પહેલાનુ ઢેબરૂં પણ ઠંડુ લાગે અને બધા આટલું ધ્યાન રાખતા હોય તો પણ અસુરક્ષિતા ની ભાવના એંસી વર્ષે પણ સ્ત્રીમાં જાગે તે સહજ વાત છે.

શૈલા મુન્શા. તા ૦૫/૧૯/૨૦૧૦

January 18th 2009

નિવૃતિ નિવાસ

પુરુષોત્તમ ભાઈ -લેખિકા-શૈલા મુન્શા (વાર્તા)

મહાબળેશ્વરનાં કુદરતી સાનિધ્યમાં પહાડો અને ખળખળ વહેતાં ઝરણાની પાડોશમા એક વિશાળ બંગલો. કોઈ અમીરની કૃપાથી એ બંગલાનુ નિવૃતિ નિવાસમાં રુપાંતર થયું જ્યાં પંદર થી વીસ વ્યક્તિઓ આરામથી દરેક પ્રકારની સુખસગવડ સાથે રહી શકે.જ્યાં સ્વજનોથી તરછોડાયેલા વ્યક્તિને પોતાપણાનો અહેસાસ થાય. જ્યાં જાતપાત કે ધર્મના વાડામાં બંધાયા વગર જીવનની પાછલી અવસ્થા શાંતિથી પસાર થાય.
એવા એ નિવૃતિ નિવાસમાં સવાર તો રળિયામણી ઊગી હતી પણ અચાનક કાળું વાદળ આવીને સૂરજને ઢાંકી દે અને ચોપાસ સૂનકાર છવાઈ જાય તેમ અચાનક અવંતિકાબેનની બુમ પડી. અરે! વલ્લભદાસ, ડો. પરાંજપે, પુરુષોત્તમભાઈ બધા જલ્દી આવો. આ સરગમબેનને કાંઇક થઈ રહ્યું છે, પરસેવે રેબઝેબ થઈ ગયા છે, અને બધા પહોંચે કાંઇક સારવાર શરુ કરે એ પહેલા તો સરગમબેને ડોક ઢાળી દીધી.
નિવૃતિ નિવાસના રહેવાસીઓમાં આ પહેલું મૃત્યુ બધાને ખળભળાવી ગયું. વલ્લભદાસતો છુટ્ટા મોઢે રડી પડ્યા, અવંતિકાબેનની તો જાણે વાચા જ હરાઈ ગઈ. બધા હાંફળા ફાંફળા થઈ ગયા. ઘડી બે ઘડી તો સર્વને શું કરવું એની જાણે સુઝબુઝ જ ના રહી. પેસ્તનજી તો જાણે બાવરા બની બોલવા માંડ્યા અરે! સરગમબેન ઘડી તો રાહ જોવી હતી, અરે તમારી આગળ હું ઊભો રહી ગયો હોત. મારી તો અહીં કાંઈ જરુર નથી પણ તમે સર્વેના મા સમાન, બધાને ઘડીમાં નોંધારા કરી ગયા.
સરગમબેન ભણતરે નર્સ એટલે અહીંયા પણ બધાંની મા અને મોટીબેન બનીને હંમેશા સાચી સલાહ આપતા, અને નવી આવનાર વ્યક્તિને સંભાળી લેતા. અવંતિકાબેન તો જ્યારે નિવૃતિ નિવાસમાં આવ્યા ત્યારે કેટલાય દિવસ સુધી સૂનમૂન હતા. એ વૃધ્ધ માને એક જ વાત કોરી ખાતી કે મા ના ગરીબ ખોરડામાં પાંચ પાંચ દીકરા સમાઈ શક્યા પણ ઘરડી મા અમીર પાંચ દીકરાના મહેલમાં ન સમાઈ શકી. ત્યારે સરગમબેને જે હુંફ અને ધીરજથી એમની લાગણીની માવજત કરી, એ યાદ એમની આંખમાંથી આંસુના રેલા બનીને વહી રહી હતી.
પુરુષોત્તમભાઈ જીવાણી ધંધે વકીલ અને નિવૃત થયા પછી પણ વકીલશાહી સ્વભાવમાંથી ગઈ ન હતી. એ તુમારશાહીને સરગમબેને કેવી સહજતાથી માનવતાવાદમાં ફેરવી નાખી એનો પુરુષોત્તમભાઈને ખ્યાલ સુધ્ધા ના આવ્યો. દુઃખના પ્રથમ આંચકામાંથી બહાર આવીને બધાએ સરગમબેનના આત્માને શાંતિ મળે એ માટે પ્રભુપ્રાર્થના કરવાનું નક્કી કર્યું.
સંધ્યા ધીમેધીમે રાતમાં પલટાઈ ગઈ, અને દરેક જણે પોતપોતાના રૂમમાં જઈ નિંદ્રાદેવીનું શરણ લેવાનો પ્રયત્ન કર્યો. દરેક રૂમમાં બે વ્યક્તિ રહી શકે એવી સગવડ રાખવામાં આવી હતી જેથી કોઈ વ્યક્તિને એકલવાયું ના લાગે અને રાતવરત જરૂર પડે એકબીજાની હુંફ રહે.
પુરુષોત્તમભાઈ અને સોહિલ સાઠે બન્ને એક જ જમાતના લોકો. પુરુષોત્તમભાઈ વકીલ તો સોહિલ સરકારી અધિકારી, અને સાથે થોડી વકીલાત પણ કરી હતી તેથી એ બન્નેને ભૂતકાળના પ્રસંગો અને કોર્ટના કેસની વાત કરવાની મઝા આવે તેથી એ બન્ને એ એક જ રૂમમાં સાથે રહેવાનું રાખ્યું હતું.
આમ તો બહાર રાતનો સોપો પડી ગયો હતો પણ સોહિલ જોઈ રહ્યો હતો કે પુરુષોત્તમભાઈ પડખાં ઘસી રહ્યાં છે. છેવટે ન રહેવાતા સોહિલે ધીરેથી હાંક પાડી, પુરુષોત્તમભાઈ ઊંઘ નથી આવતી? શા વિચારે ચઢી ગયા છો? અને સોહિલના સવાલે પુરુષોત્તમભાઈ ની આંખમાં આંસુ આવી ગયાં. સોહિલ, સરગમબેનના મૃત્યુએ મને વિચાર કરતો કરી દીધો. કાલ ઊઠીને આપણે સર્વે એ એજ માર્ગે જવાનુ છે. સરગમબેન તો નસીબદાર કે કોઈની પાસે પાણીનો પ્યાલો માંગવા પણ ના રોકાયા અને છૂટી ગયા. ખરો પુણ્યશાળી આત્મા પણ આપણું શું? એમ વાતો કરતા આંખ ઘેરાવા માંડી અને અર્ધનિંદ્રિત અવસ્થામાં પુરુષોત્તમભાઈ પણ જાણે સરગમબેન સાથે ચિત્રગુપ્તના દરબારમાં પહોંચી ગયા, અને ચિત્રગુપ્ત જાણે એમના જીવનનું સરવૈયું કાઢી રહ્યાં છે. “પુરુષોત્તમભાઈ જીંદગીનાં જમા ઉધારમાં કયું પલ્લું ભારે છે?” અને પુરુષોત્તમ્ભાઈની નજર સામે જીવનના પાના એક પછી એક ઉઘડવા માંડ્યા.
પાંચ વર્ષનો પુરુષોત્તમ. માબાપનું એકનું એક સંતાન, લાડકોડમાં મોટો થયો. બાપાની ઇચ્છા વકીલ થવાની હતી પણ ઘરની જવબદારીએ ઈચ્છા પૂરી ના થઈ શકી. એ ઇચ્છાનું બીજ એમણે પુરુષોત્તમમાં રોપ્યું, અને પુરુષોત્તમ ભણીગણીને મોટો વકીલ થયો. વકીલાતની સનદ લઈ બરોડાની કોર્ટમાં કેસ લડવાની શરુઆત કરી. ફોજદારી કેસમાં ધીરેધીરે ફાવટ આવતી ગઈ અને ત્રણ વર્ષમાં તો વકીલાતની દુનિયામાં પુરુષોત્તમભાઈનુ નામ આગળ પડતું ગણાવા માંડ્યું.
સારા ઘરની કન્યાના માંગા આવવા માંડ્યા અને બાપાએ ખાનદાન જોઈને સંસ્કારી ઘરની કન્યા રમાને પસંદ કરી દીકરાના રંગેચંગે લગ્ન કરાવી આપ્યા. લગ્નજીવનની શરુઆત થઈ.રમા ખુબજ શાંત સ્વભાવની, પુરુષોત્તમભાઈની એકેઍક વાતમાં સંમત કદિ કોઈ વાતમા વિરોધ કે પોતાનો અંગત અભિપ્રાય નહિ. જેના કારણે પુરુષોત્તમભાઈ વધુ ને વધુ આપખુદ બનતા ગયા. સમાજમાં મોભો વધતો ચાલ્યો અને કોર્ટની દુનિયામા નામના વધતી ચાલી.
કેસની તૈયારી એટલી ઝીણવટપૂર્વક કરે કે ભલભલા વકીલોના છક્કા છુટી જાય. નબળો લાગતો કેસ પણ પુરુષોત્તમભાઈના હાથમા આવે કે કાયદાની એટલી બારીકાઈથી એ લડીને સચ્ચાઈ સબિત કરી આપે, અને હારની બાજી જીતમા પલટાવી નાખે. જેમ જેમ વકીલાતની દુનિયામા નામના મેળવતા ગયા તેમ તેમ જાણે ઘરથી દૂર થતા ગયા.
ઘરમા બે સરસ મજાના દિકરા રમતા થયા-નિલેશ અને નિલય, પણ પુરુષોત્તમભાઈને બાળકો સાથે વાત કરવાનો પણ સમય નહી તો પછી સાથે બેસીને રમવાની તો વાત જ ક્યાં? ઘરમા પણ એક રુમ ને એમણે પોતાની ઓફીસ બનાવી હતી. રમાને સખત તાકીદ કે બાળકો ભુલેચુકે પણ એ રુમની આસપાસ ના ફરકે. બાળકોને મન તો પિતા જાણે એક અગમ્ય અસ્પ્રુશ્ય વ્યક્તિ. મોટાભાગે તો એમનો મેળાપ જ ના થાય. નિલેશ નિલયની શાળાનો સમય સવારનો, મમ્મી જ બંનેને તૈયાર કરી સ્કૂલ બસમા રવાના કરે અને રાતે જ્યારે પુરુષોત્તમભાઈ ઘર આવે ત્યારે બંને બાળકો ઊંઘી ગયા હોય.શનિ રવિ પણ ઘર અસીલોથી ભરેલું હોય. ઘરમા જ્યાં સુધી પપ્પાની હાજરી હોય ત્યાં સુધી બાળકોથી મોટા અવાજે ટીવી ના ચાલુ કરી શકાય કે ના જોરથી હસીરમી શકે.
નિલેશ મોટો અને સમજુ, ભણવામા હમેશા પહેલો નંબર લાવે. માની કાળજીને કારણે શાળામા બીજી ઈતર પ્રવૃતિઓમા પણ ઘણો આગળ અને હમેશા વકૃત્વ સ્પર્ધામા પ્રથમ ઈનામ જીતી લાવે, પણ પિતાની હાજરીમા સાવ મૂંગો બની જાય. નાનો નિલય રમતિયાળ. શાળામા હમેશા રમતગમતની હરિફાઈમા ઈનામ જીતી લાવે. શાળામા જ્યારે પણ ઈનામ વિતરણ સમારોહ કે બીજા કાર્યક્રમો હોય ત્યારે હમેશા રમા જ બધે હાજરી આપે. પુરુષોત્તમ્ભાઈને તો સમય જ ક્યાં?
નાનો નિલય જ્યારે બીજાના મમ્મી પપ્પાને જુએ તો રમાને સવાલ કરી બેસે કે મારા પપ્પા કેમ મારી સ્કુલમા નથી આવતા? ક્યારેક રવિવારે ઘરની બારીમાથી નીચે મેદાનમા એના મિત્રોને એના પપ્પ સાથે ક્રિકેટ રમતાં જોઈને એ બાળ માનસને અચૂક મનમાં સવાલ જાગે કે મારા પપ્પા કેમ અમારી સાથે નથી રમતાં? એ અણસમજુ બાળકનાં સવાલનો રમા પાસે કોઈ જવાબ નહીં. બાળકોનું મન બીજે વાળવા એ પતિનો બચાવ કરતી કે તમારા ભવિષ્ય માટે પપ્પા ખુબ મહેનત કરે છે જેથી એ ખૂબ પૈસા કમાય અને તમને સારું ભણતર આપી શકે, પણ એ જોઈ શકતી હતી કે બાપ દિકરાઓ વચ્ચેની ખાઈ પહોળી થઈ રહી છે. ના તો એ પતિને કાંઈ કહી શકતી કે ના તો બાળકોનાં મનને સંતોષી શકતી. એ ફક્ત એકજ વસ્તુ કરી શકતી, પોતાનો બધો પ્રેમ એ બાળકો પર ન્યોછાવર કરી દેતી.
એક તરફ બાળકો મોટા થતાં ગયા અને બીજી તરફ પુરુષોત્તમભાઈ પ્રગતિના સોપાનો સર કરતાં ગયા. માનવી હંમેશા નશાની દુનિયામાં ખોવાયેલો રહેતો હોય છે. કોઈને દારુનો નશો ગમતો હોય તો કોઈ રુપના નશાનો પાગલ, કોઈ સત્તાના નશામા ગરક તો કોઈ જીતનાં નશામાં તરબોળ. જેને જીતના નશાની આદત પડી હોય એ કદી કોઈ સંજોગોમાં હાર સ્વીકારવા તૈયાર ના થાય. પુરુષોત્તમભાઈ સાથે પણ કંઇક એવું જ બની રહ્યું હતું. એક પછી એક કેસની સફળતાએ એમને જાણે સાતમા આસમાને બેસાડી દીધા હતાં. પુરુષોત્તમભાઈ કદી ગુનેગાર નો કેસ હાથમા ના લેતા, એમને ખાતરી હોય કે પોતાનો અસીલ નિર્દોષ છે તો જ એ કેસને લેતા અને પુરાવા અને સાબિતી સહીત કોર્ટમા એ અસીલની નિર્દોષતા સાબિત કરી આપતા. ઘણીવાર તો ભયંકર %A

« Previous Page
Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.