સંકલન
Posted by shailamunshaw on 19 Feb 2008 at 02:12 am | Tagged as: સંકલન
બીજને ખેડૂત પર વિશ્વાસ છે એટલે ધરતીના ખોળામાં દિવસો સુધ નિરાંતે ઊઘી જાય છે.
બાળકને માતા ઉપર શ્રદ્ધા છે એટલે તેની ગોદમાં માથું મૂકીને નિશ્ચિંત ભાવે પોઢી જાય છે.
માણસ જો સર્જનહાર ઉપર પ્રેમાળ વિશ્વાસ કેળવે તો એના જીવનમાં એ સરળતા, હિંમત અને શક્તિ આવી જાય.
તમારું જીવનધ્યેય તમારી યાત્રાની દિશા બાંધશે; એ દિશામાં આગળ ધપવા પ્રેરણા અને શક્તિ આપશે;
દુઃખમાં સહનશીલતા અને સુખમાં વિવેક સુઝાડશે; જીવનમાં અણધારી સફળતા અપાવશે.
તમારું જીવનધ્યેય એ તમારું પ્રેરક બળ, તમારા ચારિત્ર્યનો પાયો તમારા વ્યક્તિત્વનું માપ છે.
સંકલન “અવતરણ ગંગા” ફાધર વાલેસ લિખિત
શૈલા મુન્શા ૨/૧૮/૨૦૦૮