ખળખળ વહેતું ઝરણુ નિજાનંદ માં મસ્ત
હસતું રમતું વહે પ્રક્રુતિની ગોદમા વ્યસ્ત.
કલકલ નાદે કરે પંખી સાથે કલરવ
ખીલ્યા ઉપવને જાણે ભ્રમર કરતો ગુંજારવ.
તરસ્યા પ્રાણીઓની ભાંગે તૃષા
નહિ કોઈ આશ નહિ અપેક્ષા
ક્યાં જનમ્યું ક્યાં વિલીન થયું કોણ કરે પરવા?
મળી જે જિંદગાની વિતાવી ધરતીએ વિહરવા.
ના પર્વતનો વિયોગ ના સાગરને મળવાની ઝંખના
નિત કામ આવું સર્વને હૈયે એજ રટણા.
પ્રભુ પ્રાર્થના બસ એટલીજ મુજ હૈયા તણી
વહાવું જિંદગી સાર્થક કરી સ્વચ્છ ઝરણાં સમી.
શૈલા મુન્શા
૧૧/૧૫/૦૭
શૈલાબહેન,
સ્વબોધ આપતું સરસ કાવ્ય છે.આ સાથે કવિ શ્રી સુરેશ દલાલનું કાવ્ય આવે છે,
“આપણે તો આપણી રીતે રહેવું,
ખડક થવું હોય તો ખડક,
નહિ તો નદીની જેમ વહેવું.
-ઘનશ્યામ
http://ghanshyam69.wordpress.com/
Comment by ghanshyam — October 5, 2009 @ 4:28 pm